
તહોમતની વિગતો
(૧) આ અધિનિયમ હેઠળના દરેક તહોમતનામામા આરોપી ઉપર જે ગુનાનુ તહોમત મુકવામાં આવ્યું હોય તે ગુનો જણાવવો જોઇશે (૨) જે કાયદા મુજબ ગુનો થતો હોય તેમા ગુનાનુ મુકરર નામ આપવામાં આવ્યુ હોય તો તહોમતનામા માં ફકત તેનુ નામ જણાવી ગુનાનુ વણૅન કરી શકાશે
(૩) જે કાયદા મુજબ ગુનો થતો હોય તેમા ગુનાને મુકકર નામ આપવામાં આવ્યુ ન હોય તો આરોપી ઉપર જે બાબતનુ તહોમત મુકયુ હોય તેની તેને જાણ થાય એટલા પુરતી તે ગુનાની વ્યાખ્યા દશૉવાવી જોઇશે
(૪) જે કાયદા વીરૂધ્ધ અને તેની જે કલમ વિરૂધ્ધ ગુનો કયૅાનુ કહેવાતુ હોય તે તહોમતનામા માં જણાવવા જોઇશે
(૫) તહોમત મુકવામાં આવ્યુ છે એ હકીકત તે ચોકકસ કેસમાં જે તહોમત મુકયુ છે તે ગુનો બનવા માટે કાયદા મુજબ આવશ્યક એવી દરેક કાયદેસરની શરત સંતોષાઇ છે એમ કહેવા બરાબર છે
(૬) તહોમતનામુ કોટૅની ભાષમાં લખેલુ હોવુ જોઇશે
(૭) આરોપીને અગાઉ કોઇ ગુના માટે દોષિત ઠરાવ્યો હોય અને એવી અગાઉની ગુના । સાબિતીને કારણે પાછળથી કરેલા કોઇ ગુના માટે વધારે આકરી અથવા જુદા પ્રકારની શિક્ષાને પાત્ર હોય અને પાછળથી કરેલા ગુના માટે કોટૅને જે શિક્ષા કરવાનુ યોગ્ય લાગે તેના ઉપર અસર પહોચાડવા એવી અગાઉની ગુના-સાબિતી પુરવાર કરવા ધારેલ હોય તો અગાઉના ગુના સાબિતીના હકીકત તારીખ અને સ્થળ તહોમતનામામાં દશૅાવવા જોઇશે અને જો એ પ્રમાણે દશૅાવેલ ન હોય તો સજા ફરમાવતા પહેલા કોટૅ કોઇ પણ સમયે તે ઉમેરી શકશે
Copyright©2023 - HelpLaw